Search This Blog

Wednesday, November 20, 2013

ગંગાસતી

શીલ બડા સંતોષ બડા
બુદ્ધિ બડા ગુણવંત
સબ કે પરસમ દ્રષ્ટિ હૈ
તાકો કહત હૈ સંત ..
શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન 
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને .. (૨)
મા’રાજ થયા મે’રબાન ..શીલવંત સાધુ  ને
શત્રુ ને મિત્ર જેને
એકે નહિ ઉરમાં ને
પરમારથમાં જેને પ્રીત .. (૨)
મન, કર્મ, વચનથી
મન. કર્મ, વાણીએ, વચનમાં ચાલે
રૂડી પાડે એવી રીત ..શીલવંત સાધુ ને 
આઠે પો’ર મન
મસ્ત થૈ ને રે’ વે, જેને ..
જાગી ગયો તુરીયાનો તાર ..
નામ રૂપ જેણે
મિથ્યા કરી જાણ્યા ને
સદાય ભજનનો એને આહાર ..શીલવંત સાધુ ને
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો પાનબાઈ
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો ત્યારે ..
ઊતરશો ભવ પાર …
ગંગાસતી એમ બોલિયાં ને રે
જેને વચનો સાથે વે’વાર ..શીલવંત સાધુ ને
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને
જેને મા’રાજ થયા છે મે’રબાન …શીલવંત સાધુ ને

No comments:

Post a Comment