Search This Blog

Friday, March 4, 2011

વિદુરનીતિ



વિદુરનીતિ મુજબ આ ૬ વ્યક્તિઓ ને ઘરમાં ઉતારો ના અપાય.

1. બહુજ આળસુ હોય
2. બહુ ખાતો હોય
3. સમાજમાં જેની બહુ નિંદા થતી હોય
4. બહુ કપટી હોય
5. જુઠઠો હોય
6. નાસ્તિક હોય


વિદુરનીતિ મુજબ નિયમિત સ્નાન કરવાથી આ ૧૦ ગુણો આવે છે

1. પવિત્રતા
2. સ્વચ્છતા
3. કોમળતા
4. શોભા
5. લાવણ્યતા
6. મિત્રતા
7. રૂપ જળવાય રહે
8. બળ જળવાય રહે
9. ભાગ્ય તેજ બને
10. સ્ફૂરતિ બની રહે.


વિદુરનીતિ મુજબ આ માણસો જીવતાં છતાં મરેલા જ છે.

1. અશિષ્યને ઉપદેશ આપે તે.
2. થોડીક વાત થી બહુ ખુશ થઇ જાય તે .
3. શત્રુની મદદ લે તે.
4. પોતાની પત્ની પર શંકા રાખે તે.
5. અયોગ્ય માણસ પાસે યાચના કરે તે .
6. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે તે.
7. અનિચ્છીનીય વસ્તુની ઈચ્છા રાખે તે .
8. વેવીસાળ માં પૈસા,મદદ લઇ એમના પાસેથી સ્ન્માનની અપેક્ષા રાખે તે.
9. બીજાના ખેતરમાં જે વાવે તે.
10. સ્ત્રીઓ પર અત્યાચાર કરે તે.
11. દુર્જન ને સજ્જન માને તે.
12. વચન આપીને ફરી જાય તે.
13. જે પ્રભુ ભક્તિમાં માનતો નથી તે.
14. જે વાતવાત પર ક્રોધ કરે તે.
15. જે બહુ ભોગવિલાસ કરતો હોય તે.
16. જે વડીલોની મર્યાદા રાખતો નથી.


વિદુરનીતિ મુજબ આ પાંચ લક્ષણો હોય તેને ગૃહલક્ષ્મી કેહવાય.

1. ઘરમાં કેટલું અનાજ હોય તેનું બરાબર ધ્યાન રાખે.
2. બાળકોના યોગ્ય ઉછેર કરે.
3. ઘરમાં સંપ અને સદભાવ રહે તેનું ધ્યાન રાખે.
4. મધુરવાણી થી ઘરનું વાતાવરણ શાંતિમય રાખે.
5. પવિત્રપણું રાખે.


વિદુરનીતિ મુજબ આ ૧૦ વ્યક્તિઓને ધર્મ નો ઉપદેશ ના આપવો

1. જેને દારૂનો નશો ચડ્યો હોય
2. અસાવધ થઈને તંદ્રા માં બેસે.
3. થાકી ગયેલા માણસને.
4. ભૂખ્યા માણસને.
5. ક્રોધે ભરાયેલા .
6. લોભીયા માણસને
7. બીકણ ડરેલા માણસને
8. બહુ ઉતાવળિયા માણસને
9. અજ્ઞાની માણસને
10. નાસ્તિક માણસને


વિદુરનીતિ મુજબ જીવનમાં સુખી થવાના છ કારણો

1. સારુ આરોગ્ય
2. માથે દેવું ન હોય
3. પોતાનું ઘર હોય
4. સારો પડોસી હોય
5. સારી આજીવીકા હોય
6. સત્સંગ અને પ્રભુ વ્યકિત કરતા હોય

વિદુરનીતિ મુજબ જીવનમાં દુઃખી થવાના છ કારણો

1. ઈર્ષા
2. અસંતોષ
3. શંકાશીલ
4. ક્રોધ
5. પારકા પર ભરોસો
6. વધુ પડતુ દયાળુ

વિદુરનીતિ મુજબ સંપત્તિના ત્રણ રસ્તા હોય છે.

1. દાન
2. ભોગ (વાપરવું)
3. નાશ

સંપત્તિને દાન કરો પછી ભોગવો અને છેલ્લે વધુ સંગ્રહ કરર્શો તો નાશ જ થશે.

વિદુરનીતિ મુજબ આ પાંચ કારણો ,કુટેવો થી દુઃખ સામે ચાલીને આવે છે.

1. જુગાર
2. શિકાર
3. મદ્યપાન
4. અતિ વિલાસ
5. ક્રોધ




વિદુરનીતિ મુજબ આ ત્રણે વ્યક્તિઓનો કયારેય ત્યાગ ન કરવો જોઈએં

1. પોતાની પ્રિય વ્યક્તિ
2. પોતાની પ્રિયવાદીની એટલે પત્ની
3. આગ્યાન્કારી સુપુત્ર

વિદુરનીતિ મુજબ આ પાંચ વ્યક્તિઓનો આદર કરવાથી કેવળ યશની પ્રાપ્તિ થાય છે

1. દેવ
2. પિતૃ
3. મનુષ્ય
4. ભિક્ષુક
5. અતિથી

વિદુરનીતિ મુજબ આ છ દોષોનો ત્યાગ કરવાથી ધ્યેય જલ્દી મળે છે

1. ઊંઘ
2. આળસ
3. ભય
4. ક્રોધ
5. દીર્ઘસુત્રીપણુ
6. પ્રમાદપણુ

વિદુરનીતિ મુજબ

બેદરકાર માણસો પર ચોરોની આજીવિકા ચાલે છે.રોગીઓ ઉપર જ ડોક્ટરોની ,ઝાઘડાખોરો ઉપર જ વકીલોની અને મુર્ખાઓ ઉપરજ પન્ચાત્યાઓની આજીવીકા ચાલે છે.

વિદુરનીતિ મુજબ જીવનમાં આ પાંચ વસ્તુ ,વ્યક્તિઓને કડી ન ભુલવા જોઈએ

1. ભણ્યા પછી શિક્ષક ને
2. આપણુ કામ કર્યું હોય તેને
3. મુસાફરી કાર્ય બાદ વાહન ને
4. રોગ માટી જાય પછી ડોક્ટરને
5. લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને



વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં સ્વતન્ત્રતા ન આપવી .

1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને
2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને
3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ

વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય

1. જેની બુધિ ઓછી હોય.
2. બહુ હરખ ઘેલો હોય
3. જેને પોતાની બહુ મોટાઈ હોય
4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા

વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.

1. શુભ સંકલ્પ
2. મહા પુરુષોના તપ
3. ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય
4. પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.

વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે,તે વહેલા મૃત્યુ પામે એજ સારુ

1. જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.
2. જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.

વિદુરનીતિ મુજબ આ પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.

1. સાચા મિત્રો
2. તમારા ગુરુ
3. તમારા શત્રુઓ
4. તમારો સેવક
5. તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી