Search This Blog

Thursday, April 4, 2013

મહામૃત્યુંજય મંત્ર

ૐ હ્રૌં જૂં સઃત્ર્યમ્બકંજજામહેસુગન્ધિમ્પુષ્ટિવર્દ્ધનમ્‌ ઉર્વારુકમિવબન્ધનાત્‌ મૃત્યોર્મુક્ષીયમામૃતાત સઃજૂં હ્રૌં ૐ  


અહીં જાણો, કેટલી સંખ્યામાં શિવના આ મહામંત્રને બોલવાથી કે જપ કરવાથી જીવનમાં ફેરફાર થઈ શકે છે. –

- મહામૃત્યુંજય મંત્રના એક લાખ જપ કરવાથી શરીર પવિત્ર થઈ જાય છે. પછી કોઈ રોગ, દોષ પણ લાગતો નથી. 

- મંત્રના બે લાખ જપ પૂરા થવાથી પૂર્જન્મની વાતો યાદ આવી જાય છે. 

- મંત્રના ત્રણ લાખ જાપ પૂરા કરવાથી બધી મનગમતી સુવિધા અને વસ્તુઓ મળી જાય છે.

- ચાર લાખ મંત્ર જપ કરવાથી ભગવાન શિવ સપનોમાં દર્શન આપે છે. 

- પાંચ લાખ મહામૃત્યુંજય મંત્ર પૂરા થતા જ ભગવાન શિવ તરત જ ભક્તની સામે પ્રગટ થઈ જાય છે

Wednesday, April 3, 2013

જીવન સાર

* જીવન માં એટલા નરમ ન થાઓ કે લોકો તમને ખાઈ જાય 
*જીવન માં એટલા ગરમ ન થાઓ કે લોકો તમને અડી પણ ના શકે 
* જીવન માં એટલા સરળ ન થાઓ કે લોકો તમને મુર્ખ બનાવી દે 
* જીવન માં એટલા અતડા ન થાઓ કે લોકો તમને મળી ન શકે 
* જીવન માં એટલા ગંભીર ન બનો કે લોકો તમારા થી કંટાળી જાય 
* જીવન માં એટલા છીછરા ન બનો કે લોકો તમને ગણકારે નહિ 
* જીવન માં એટલા મોંઘા ન બનો કે લોકો તમને બોલાવી ન શકે 
* જીવન માં એટલા સસ્તા ન બનો કે લોકો તમને નચાવ્યા કરે 
જીવન માં પોતે જ પોતાને દંડિત સજા કરવાનું કેળવે તો જીવનદિવ્ય બની જાય અને જીવનમુલ્યો નો વિકાસ  થાય 


સુવિચાર

સમજણ - વિવેક નો ઉપયોગ પ્રત્યેક સુખ ની ચાવી છે 
જીવન જીવી જાણવા માટે છે મારવા માટે નહિ