જીવન જીવવાની જડીબુટ્ટી ,
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવાજાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પરહળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટમાટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણમહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો..
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકોવાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમયફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછીઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજશક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓકરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓનેખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ .
૧૨. દરરોજ ઓછામાં ઓછાત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અનેભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાનાનથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીનેપતિ/પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને (Unconditional) માફીબક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવાવિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબપરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણતમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટેમિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ નમળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતુંબધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયારથાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીનેભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગાવ્હાલાઓને પણ જણાવો.નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Friday, January 3, 2014
જીવન જીવવાની જડીબુટ્ટી ,
.સુવાક્ય
સપનાં જોશો નહીં Beauty ના,
એનાથી બગડી જશે તમારી Duty,
સપનાં જુઓ તમારી Duty ના,
એનાથી વધી જશે તમારી જિંદગીની Beauty ..!!
પત્તાંથી મહેલ નથી બનતો,
નદીને રોકવાથી દરિયો નથી બનતો,
આગળ વધતા રહો જિંદગીમાં દરેક ક્ષણે,
એક જીત મેળવવાથી કોઈ સિકંદર નથી બનતો...
ભણેલા લોકો પરિસ્થિતિઓ અનુસાર સ્વયંને બદલી નાખે છે.
અનુભવી લોકો સ્વયંને અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે..
સમયને મહત્વ આપનારા જ જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે...
પાત્ર અને કુપાત્રમાં મોટો ફરક છે...
ગાય ઘાસ ખાઈને પણ દૂધ આપે છે,,
જ્યારે સાપ દૂધ પીને પણ ઝેર ઓકે છે..
સફળ વ્યક્તિઓનાં હોઠ પર બે ચીજ હંમેશાં રહેતી હોય,
'મૌન' અને 'સ્મિત'.
'મૌન' સમસ્યાઓ ટાળવા માટે અને,
'સ્મિત' સમસ્યાઓ ઉકેલવા માટે..
મારા વાળ સફેદ થવા માંડ્યા છે તો મારે શું સમજવું..?
સફેદ વાળ એમ કહે છે કે,,
'હવે જીવનને વધુ સ્વચ્છ અને વૃત્તિઓને સાત્વિક બનાવો..'
અંધારામાં પ્રકાશ ફેલાવીને તો જુઓ,
ઘમંડને દિલમાંથી ભગાડીને તો જુઓ,
દ્રઢવિશ્વાસ દિલમાં હોય તો સફળતા ચોક્કસ મળે છે,
એક ડગલું આગળ વધારીને તો જુઓ...
તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ. ‘હું છું તે હું છું’
એમાં સમગ્ર સત્ય આવી જાય છે. ‘શાંત રહો’ ...એ પધ્ધ્તિનો સાર છે.
Subscribe to:
Posts (Atom)