Search This Blog

Wednesday, July 13, 2011

GITA SAR

આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી. ભગવદ્ગીતાની આ વિશેષતા છે. પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી. આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું. “ અર્જુન, તારી ઈચ્છા, તારી સાધના, બધું ફેંકી દે, અને મારે શરણે આવ. ” પોતાને શરણે આવવાનું કહી, આપેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું. એનો અર્થ એટલો જ કે “ તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દઈશ મા. પોતાની ઈચ્છા ચલાવવાની નથી, તેની જ ચલાવવાની છે, એવું થવા દે. ” આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે. હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ‘ में में में ’ કર્યા કરે છે, हुं हुं हुं ’ કહ્યા કરે છે. પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, “ તુહી, તુહી, તુહી, ” ‘તું જ, તું જ, તું જ, ’ એવું બોલે છે. હવે બધુંયે ‘ तुही… तुही… तुही…’

गुरु क्रुपा हि केवल

यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरो ।

तस्येतेकथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥
                            (श्वेताश्वतरोपनिशत ६.२३)

जिस की परमेश्वर मे अत्यन्त भक्ति हे और जेसी परमेश्वर मे हे वेसी ही गुरुमे भी हे । उस महात्मा के प्रति कहनेपर ही इन तत्वो का प्रकाश होता हे , उस महात्मा के प्रति ही ये प्रकाशित होते हे ॥