
...પછી દરેક વસ્તુ આપની તરફ ખેંચાઇ આવશે
ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે.
આપ હંમેશા વિચારતા હશો કે કેટલીક વસ્તુઓ જોતા જ આપની તરફ ખેંચાઇ આવે તો કેટલું સારું! પણ બાદમાં તેને કપોળ કલ્પના ગણીને ભૂલી જાવ છો. શું આપ જાણો છો કે આ સંભવ છે? આ વિદ્યાને સિદ્ધ કરી શકાય છે અને તે પણ બહુ સારી રીતે. વિદ્યા સિદ્ધિ બાદ આપ જે કોઇ પણ વસ્તુને જોશો, તે આપની તરફ ખેંચાઇ આવશે, પછી તે મનુષ્ય હોય કે કોઇ પથ્થર.
વાસ્તવમાં આ વિદ્યાને સંમોહન, વશીકરણ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. સંમોહન, વશીકરણનું જ એક રુપ છે ત્રાટક સાધના. તેના દ્વારા આપણે આપણી આંખો અને મસ્તિષ્કની શક્તિઓને જાગૃત કરીને તેને એટલા પ્રભાવી બનાવી શકીએ છીએ કે માત્ર વિચારવાથી અને જોવાથી જ કોઇપણ વસ્તુ આપણી પાસે ખેંચાઇ આવે છે.
ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે. ત્રાટક સાધના એટલે કોઇ પણ વસ્તુને એકીટશે જોવી. આ સાધના આપ ઊગતા સૂર્ય, સળગતી મીણબત્તી, કોઇ યંત્ર, દીવાલ કે કાગળ પર કરવામાં આવેલા બિંદુમાંથી કોઇને પણ જોઇને કરી શકો છો.
ત્રાટક સાધનામાં રાખવી પડતી સાવધાનીઓ-
- આ સાધના સમયે આપની આસપાસ શાંતિ હોવી જોઇએ. આ સાધનાનો સૌથી ઉત્તમ સમય છે અડધી રાત કે પછી બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3થી 5ની વચ્ચેનો સમય. - રાતે જો ત્રાટક કરવામાં આવે તો સહુથી સારું સાધન મીણબત્તી રહેશે. મીણબત્તીને સળગાવી તેને એ રીતે રાખવી કે તે આપની આંખોની બરાબર સામે રહે.- મીણબત્તીને ઓછામાં ઓછી ચાર ફૂટના અંતરે રાખવી. - પહેલાના ત્રણ-ચાર દિવસ ત્રણથી પાંચ મિનિટ સુધી એકીટસે મીણબત્તીનો સળગતો ભાગ જુઓ. આ દરમિયાન આપની આંખો પલકવી ન જોઇએ. - ધીરે-ધીરે સમય સીમા વધારતા જાવ, આપ અનુભવશો કે થોડા જ દિવસોમાં આપની આંખની ચમક વધી ગઇ છે અને તેમાં આકર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું છે.
No comments:
Post a Comment