Search This Blog

Wednesday, January 11, 2012

ફેશબુક પર વાંચેલી પોસ્ટ

એક સંપુર્ણ વ્યકિત હતો, તેણે ઘરની ભીંત પર મોટા અક્ષરે લખેલુ ..GOD IS NOWHERE, સમય જતાં તેના લગ્ન થયાં, બાળક પણ થયું, બાળક મોટું થયું અને તે લખતાં વાંચતાં શીક્યું, તે જ્યારે પિતા સાથે બહાર જાય ત્યારે રસ્તામાં લગાડેલા સાઇનબોર્ડ વાંચે અને એક અક્ષર વાંચી પિતાને સંભળાવે, વખત જતાં તેને અક્ષરજ્ઞાન થયું, એક દિવસ ઘરમાં જ લખેલું તેણે વાંચ્યું અને પિતાને કહેવા દોડી આવ્યો કે, જુઓ મેં આખું વાક્ય વાંચ્યું_GOD IS NOW HERE, આ સાંભળીને પેલો નાસ્તિક ચોંકી ઊઠ્યો, તેને બાળકના ઉચ્ચારણમાં નવો જ ધ્વનિ સંભળાયો, એક અર્થ બદલાઇ ગયો, પેલા માણસના મનમાં નવો જ તણખો મુકાયો, તે તુરંત જ ઈશ્વરમાં માનતો થઈ ગયો, આ જોઈ તેના સ્વભાવને ઓળખનારા પૂછવા લાગ્યા કે, તારા ગુરુ કોણ છે કે જેણે તને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો, પિતાએ તુરંત બાળક સામે આંગળી ચીંધી જવાબ આપ્યો કે, "ચાઈલ્ડ ઈઝ ધી ફાધર ઓફ ધી મેન, " અંગ્રેજીમાં કહેવત છે if the disciple is ready, the mas-ter is at hand, શિષ્ય શીખવા તૈયાર હોય તો ગુરુ હાજરાહજુર છે, તેને શોધવા જવાની જરૂર નથી

प . पू .श्री चन्द्रशेखर पण्डितजी

ભોગોલીક દ્રષ્ટિ એ પૃથ્વી પર ના વિવિધ દેશો ને તેની એક આગવી વિશેષતા છે . જેમકે પેલેસ્ટાઈન  એટલે પવિત્રભૂમિ, પવિત્ર શહેર એટલે જેરુસલેમ , ઉગતા સૂર્ય નો દેશ એટલે જાપાન , હિંદી મહાસાગર નું મોતી એટલે શ્રીલંકા , ચલ ચિત્ર નું શહેર એટલે હોલીવુડ ,અંધારિયો ખંડ એટલે આફ્રિકા ,ડેરી નો દેશ એટલે ડેન્માર્ક , તેમ ઋષિ ઓ નો દેશ ,ઋષિ ઓ ની ભૂમિ એટલે ભારત . ભા શબ્દ ના તેજ , કાંતિ , દીપવું , પ્રકાશવું ,( To shine , be bright or splendid) વિશાળ , મહાન અને ભવ્ય એમ ઘણાં અર્થો થાય છે . તે સર્વ અર્થો ભારત ને માટે યોગ્ય હતા અને રહે તેને માટે આપણે પ્રયત્ન શીલ રહેવું જોઈએ .
ભા એટલે જ્ઞાન અને તેમાં જે રત રહે તે ભારત . ઋષિઓના દિવ્ય જ્ઞાન માં રત રહી એ તો આપણે સાચા અર્થ માં ભારતીય . બાકી ઘણા ભૂંડ પણ આ ભૂમિ માં રહે છે . આ દેશમાં હજારો ઋષિ ઓ જ્ઞાન નો દીપ હાથ માં લઇ ને ફરતાં રહ્યાં , જેને કારણે આજે પણ આપણે વિશ્વ ના સામે ઉન્નત મસ્તકે ફરી શકીએ છીએ . આપણે સર્વ ઋષિ ઓનાં જ સંતાન છે . તેથી સર્વ ને આ વાત નો ગર્વ હોવો જોઈએ . અને તેથી વિશેષ તો वयं अमृतस्य पुत्रा:| આપણે પરમાત્માના પુત્ર અર્થાત અંશ છીએ . ઉત્ક્રાંતિ વાદ ને માનવા વાળા ઓનાં પૂર્વજો ભલે વાંદરા હોય પણ અમારાં તો પૂર્વજો ના પણ પૂર્વજ ભગવાન આદિનારાયણ છે. તેથી નરના મૂલ ઉદ્ગમ નારાયણ ને પ્રાપ્ત કરવા કૃત નિશ્ચયી બનીએ .

 
તપ સ્વાધ્યાયનિરત સહસ્ત્રાબ્દી કે સર્વશ્રેષ્ઠ ધર્માધિકારી 
પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખરપંડિતજીમહારાજ  

Tuesday, December 27, 2011

ગંગા દશહરા

अदत्ताना मुपादनं  हिंसा चेवा विधानतः |
परदारोपसेवा च कायिकं त्रिविधं स्मृतम् ||
पारुष्यमनृतं चेव पेशुन्यं चापि सर्वतः |
असम्बद्ध् प्रलापश्च वाङ् मयं स्याच्चतुर्विधं ||
परद्रव्येष्वभिध्यानं मनसा निष्ट चिन्तनं |
वितथाभिनिवेशश्च मानसं त्रिविधं स्मृतम् ||
एतानि दश पापानि हर त्वमथ जाह्नवी |
दशपापहरा यस्मात्तस्या दशहरा स्मृता || 
                          (स्कन्द पुराण )


ધર્મ વાક્ય

૧ . 'ધર્મ ચર' : ધર્મ નું આચરણ કરો (આચાર ધર્મ )
૨. ' ધર્મ એ , 'જે સર્વ ને ધારણ કરે '--- ધારયતિ ઇતિ ધર્મ 
૩. ' ધર્માચરણ ' માટે , ' વિદ્યા - વિનય - પાત્રતા - ધન ' પ્રાપ્ત કરવા પડે છે .
૪.' ધર્માચરણ ' થી જ , સુખ પ્રાપ્ત થાય છે .
૫. ધર્મ થી જ , અર્થ અને કામ સિદ્ધ થાય છે .(વેદ વ્યાસજી )

ઈશ્વર ને મેં રડતા જોયા

આ જગમાં આવીને, માનવ , માનવતા વિસરતાં જોયા 
પૈસા માટે  આંખ   મીંચીને,   કાળા  ધોળા  કરતા  જોયા 
સત્યાસત્ય વિવેક ભૂલીને , સ્વાર્થ ને સત્ય સમજતા જોયા 
ભોગો  માટે દીન બની , કીડા સમ જીવન જીવતા જોયા 
સૃષ્ટી માં આવીને , સર્જનહારને ભૂલતા માનવ  જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૧)

ઈશ્વરની સુંદર સૃષ્ટીમાં , વિકારી ઓને ભમતા જોયા 
રૂપ જોઇને લટ્ટુ થાતાં, વિચલિત મનના માનવ જોયા 
કોમળ કંઈ પુષ્પો ને મેં તો, વણખીલ્યે ચુંટાતા જોયા 
સુંદરતા જોઈ ના હસતાં , હણીને હર્ષિત થાતાં જોયા 
પૂજન છોડી સુંદરતા નું ,   લુંટનાર  શિકારી   જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને રડતાં   જોયા....(૨)

ભાઈ ભાઈ ની ભાવના ભૂલી , ખોટા ભેદો ધરતાં જોયા 
સમાનતાની વાતો કરતાં , ઉંચ નીચ ગણનારા જોયા 
દંભ અહં જીવનમાં ભરીને , વર્તનમાં તદન ઉલ્ટા જોયા 
કામ ન કરવું નામ ધરીને , મોટા મોટા ફરતાં  જોયા 
સેવાના નામે જયારે મેં , સહુ ને મેવા જમતાં જોયા 
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૩)
 




Thursday, December 22, 2011

૨૭ નક્ષત્ર

અશ્વિની ,ભરણી,કૃતિકા ,રોહિણી ,મૃગશીર્ષ ,આર્દ્રા , પુનર્વસુ , પુષ્ય ,આશ્લેષા , મઘા , પૂર્વાફાલ્ગુની , ઉત્તરાફાલ્ગુની ,હસ્ત , ચિત્રા , સ્વાતી , વિશાખા , અનુરાધા , જયેષ્ઠા , મૂળ , પૂર્વા ષાઢા , ઉતરાષાઢા , શ્રવણ , ઘનિષ્ઠા , શતભિષા , પૂર્વા ભાદ્રપદ , ઉતરા ભાદ્રપદ , રેવતી





Friday, December 16, 2011

पूजा या मंत्र जाप कहाँ करे


पूजा या मंत्र जाप के लिए हमारे वेदों में और शिव
पुराण
में कहा गया है की --
१- घर में पूजा या जाप करने से १ गुना फल मिलता है .
२- गाय या गौशाला के पास करने से सौ गुना फल मिलता है .
३-पवित्र वन ,बगीचे तीर्थ स्थान में करने से हजार गुना फल मिलता है .
४- पर्वत पर दस हजार गुना फल मिलता है .
५- पवित्र नदियों के तट पर करने से कई लाख गुना फल मिलता है .
६-देवालय में करने से करोड़ गुना फल मिलता है .
७- शिव मंदिर में पूजा-पाठ करने से अनंत गुना फल मिलता है .