All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Sunday, March 6, 2011
हनुमंत मंत्र
Friday, March 4, 2011
વિદુરનીતિ
વિદુરનીતિ મુજબ આ ૬ વ્યક્તિઓ ને ઘરમાં ઉતારો ના અપાય.
1. બહુજ આળસુ હોય
2. બહુ ખાતો હોય
3. સમાજમાં જેની બહુ નિંદા થતી હોય
4. બહુ કપટી હોય
5. જુઠઠો હોય
6. નાસ્તિક હોય
વિદુરનીતિ મુજબ નિયમિત સ્નાન કરવાથી આ ૧૦ ગુણો આવે છે
1. પવિત્રતા
2. સ્વચ્છતા
3. કોમળતા
4. શોભા
5. લાવણ્યતા
6. મિત્રતા
7. રૂપ જળવાય રહે
8. બળ જળવાય રહે
9. ભાગ્ય તેજ બને
10. સ્ફૂરતિ બની રહે.
વિદુરનીતિ મુજબ આ માણસો જીવતાં છતાં મરેલા જ છે.
1. અશિષ્યને ઉપદેશ આપે તે.
2. થોડીક વાત થી બહુ ખુશ થઇ જાય તે .
3. શત્રુની મદદ લે તે.
4. પોતાની પત્ની પર શંકા રાખે તે.
5. અયોગ્ય માણસ પાસે યાચના કરે તે .
6. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે તે.
7. અનિચ્છીનીય વસ્તુની ઈચ્છા રાખે તે .
8. વેવીસાળ માં પૈસા,મદદ લઇ એમના પાસેથી સ્ન્માનની અપેક્ષા રાખે તે.
9. બીજાના ખેતરમાં જે વાવે તે.
10. સ્ત્રીઓ પર અત્યાચાર કરે તે.
11. દુર્જન ને સજ્જન માને તે.
12. વચન આપીને ફરી જાય તે.
13. જે પ્રભુ ભક્તિમાં માનતો નથી તે.
14. જે વાતવાત પર ક્રોધ કરે તે.
15. જે બહુ ભોગવિલાસ કરતો હોય તે.
16. જે વડીલોની મર્યાદા રાખતો નથી.
વિદુરનીતિ મુજબ આ પાંચ લક્ષણો હોય તેને ગૃહલક્ષ્મી કેહવાય.
1. ઘરમાં કેટલું અનાજ હોય તેનું બરાબર ધ્યાન રાખે.
2. બાળકોના યોગ્ય ઉછેર કરે.
3. ઘરમાં સંપ અને સદભાવ રહે તેનું ધ્યાન રાખે.
4. મધુરવાણી થી ઘરનું વાતાવરણ શાંતિમય રાખે.
5. પવિત્રપણું રાખે.
વિદુરનીતિ મુજબ આ ૧૦ વ્યક્તિઓને ધર્મ નો ઉપદેશ ના આપવો
1. જેને દારૂનો નશો ચડ્યો હોય
2. અસાવધ થઈને તંદ્રા માં બેસે.
3. થાકી ગયેલા માણસને.
4. ભૂખ્યા માણસને.
5. ક્રોધે ભરાયેલા .
6. લોભીયા માણસને
7. બીકણ ડરેલા માણસને
8. બહુ ઉતાવળિયા માણસને
9. અજ્ઞાની માણસને
10. નાસ્તિક માણસને
વિદુરનીતિ મુજબ જીવનમાં સુખી થવાના છ કારણો
1. સારુ આરોગ્ય
2. માથે દેવું ન હોય
3. પોતાનું ઘર હોય
4. સારો પડોસી હોય
5. સારી આજીવીકા હોય
6. સત્સંગ અને પ્રભુ વ્યકિત કરતા હોય
વિદુરનીતિ મુજબ જીવનમાં દુઃખી થવાના છ કારણો
1. ઈર્ષા
2. અસંતોષ
3. શંકાશીલ
4. ક્રોધ
5. પારકા પર ભરોસો
6. વધુ પડતુ દયાળુ
વિદુરનીતિ મુજબ સંપત્તિના ત્રણ રસ્તા હોય છે.
1. દાન
2. ભોગ (વાપરવું)
3. નાશ
સંપત્તિને દાન કરો પછી ભોગવો અને છેલ્લે વધુ સંગ્રહ કરર્શો તો નાશ જ થશે.
વિદુરનીતિ મુજબ આ પાંચ કારણો ,કુટેવો થી દુઃખ સામે ચાલીને આવે છે.
1. જુગાર
2. શિકાર
3. મદ્યપાન
4. અતિ વિલાસ
5. ક્રોધ
વિદુરનીતિ મુજબ આ ત્રણે વ્યક્તિઓનો કયારેય ત્યાગ ન કરવો જોઈએં
1. પોતાની પ્રિય વ્યક્તિ
2. પોતાની પ્રિયવાદીની એટલે પત્ની
3. આગ્યાન્કારી સુપુત્ર
વિદુરનીતિ મુજબ આ પાંચ વ્યક્તિઓનો આદર કરવાથી કેવળ યશની પ્રાપ્તિ થાય છે
1. દેવ
2. પિતૃ
3. મનુષ્ય
4. ભિક્ષુક
5. અતિથી
વિદુરનીતિ મુજબ આ છ દોષોનો ત્યાગ કરવાથી ધ્યેય જલ્દી મળે છે
1. ઊંઘ
2. આળસ
3. ભય
4. ક્રોધ
5. દીર્ઘસુત્રીપણુ
6. પ્રમાદપણુ
વિદુરનીતિ મુજબ
બેદરકાર માણસો પર ચોરોની આજીવિકા ચાલે છે.રોગીઓ ઉપર જ ડોક્ટરોની ,ઝાઘડાખોરો ઉપર જ વકીલોની અને મુર્ખાઓ ઉપરજ પન્ચાત્યાઓની આજીવીકા ચાલે છે.
વિદુરનીતિ મુજબ જીવનમાં આ પાંચ વસ્તુ ,વ્યક્તિઓને કડી ન ભુલવા જોઈએ
1. ભણ્યા પછી શિક્ષક ને
2. આપણુ કામ કર્યું હોય તેને
3. મુસાફરી કાર્ય બાદ વાહન ને
4. રોગ માટી જાય પછી ડોક્ટરને
5. લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને
વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં સ્વતન્ત્રતા ન આપવી .
1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને
2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને
3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ
વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય
1. જેની બુધિ ઓછી હોય.
2. બહુ હરખ ઘેલો હોય
3. જેને પોતાની બહુ મોટાઈ હોય
4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા
વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.
1. શુભ સંકલ્પ
2. મહા પુરુષોના તપ
3. ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય
4. પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.
વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે,તે વહેલા મૃત્યુ પામે એજ સારુ
1. જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.
2. જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.
વિદુરનીતિ મુજબ આ પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.
1. સાચા મિત્રો
2. તમારા ગુરુ
3. તમારા શત્રુઓ
4. તમારો સેવક
5. તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી
Tuesday, March 1, 2011
शिवरात्रि को रात पूजा क्यों ?

शिवरात्रि को रात में ही पूजा क्यों ? जिस प्रकार नदी में ज्वार - भाटा होता हे उसी प्रकार इस विराट ब्रहमांड मेंसृष्टि और प्रलयके दो विभिनमुखी स्रोत नित्य बह रहे हे | मानचित्रमें जेसे पृथ्वीके विस्तार को छोटे से आकार मेंपाकर उसे पकड़ लेना हमारे लिये सहज हो जाता हे वेसे ही इस विराट ब्रहमांड में सृष्टि और प्रलय के जो सुदीर्घ स्रोतप्रवाहित हो रहे हे दिवस और रात्रि की क्षुद्र सीमा में उन्हें बहुत छोटे आकार में प्राप्तकर उसे अधिगत करना हमारेलिये संभव हे | शास्त्र में भी दिवस और रात्रि को नित्य सृष्टि और नित्य प्रलय कहा गया हे | एक से अनेक औरकारन से कार्य की और जाना ही सृष्टि हे और ठीक इसके विपरीत अर्थात अनेक से एक और कार्य से कारन की औरजाना ही प्रलय हे | दिन में हमारा मन , प्राण और इन्द्रिया हमारे आत्मा के समीप से भीतर से बाहर विषय -राज्यकी ओर दोड़ती हे ओर विस्यानंद में ही मग्न रहती हे | पुनः रात्रि में विषयों को छोड़कर आत्मा की ओर अनेक कोछोड़कर एक की ओर शिव की ओर प्रवुत होती हे |हमारा मन दिन में प्रकाश की ओर सृष्टि की ओर भेद भाव कीओर अनेककी ओर जगत की ओर कर्मकांड की ओर जाता हे और पुनः रात्रि में लौटता हे अंधकार की और लय कीओर अभेद की ओर एककि ओर ,परमात्मा की ओर और प्रेम की ओर | दिन में कारन से कार्य की ओर जाता हे औररात्रि में कार्य से कारन की ओर लौट आता हे | इसीसे दिन सृष्टि का और रात्रि प्रलय का द्योतक हे | ' नेति नेति ' कीप्रक्रिया के द्वारा समस्त भूतो का अस्तित्व मिटाकर समाधियोग में परमात्मासे आत्मसमाधान की साधना ही शिवकी साधना हे | इसी लिये रात्रि ही इसका मुख्य काल -- अनुकूल समय हे |प्रकृति की स्वाभाविक प्रेरणा से उससमय प्रेम -साधना ,आत्मनिवेदन ,एकत्मानुभुती सहज ही सुन्दर हो उठती हे जय शंकर
Friday, January 7, 2011
Saturday, December 4, 2010
વાણીશૂરા નહીં, વર્તનશૂરા બનો પૂ. રંગ અવધૂતજી

પૂ.મોટાએ હરિ ઓમ ની ધૂનથી સમગ્ર ગુજરાતને ગુંજવ્યું છે, તો બાપજીએ ત્રિદેવ (બ્રહ્ના-વિષ્ણુ-મહેશ)ને અત્રિનંદન (ભગવાન દત્તાત્રેય) રૂપે આરાધીને અદ્રિતીય પ્રદાન આપ્યું છે. બાપજીનું સર્જન એટલે અવધૂતી સાહિત્ય. ગુજરાતની અધ્યાત્મપ્રેમી જનતા માટે સાચી સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું આ સત્સાહિત્ય ઉત્તમ છે. આજે સમાજને જરૂર છે, આચરણ અને કર્મઠતાની. પૂ. બાપજી સત્યના સાધક અને અલખના આરાધક હતા. બાપજી જેવા મહાપુરુષનું ગુજરાત સાથે સંબંધિત હોવું મોટા બહુભાગ્યનું પ્રતીક છે.
શ્રી દત્તપાદારવિન્દમિલિન્દ બ્રહ્નચારી પાંડુરંગ તરીકે પોતાની જાતને ઓળખાવતા એ મહાન સંતને ‘બાપજી’ કહેવાનું જ મને ગમશે, કારણ કે બ્રહ્નચારી હોવાની સાથે હું પૂજય શ્રીમદ્ રંગ અવધૂતજીને બહુ શરણભાવે સમજવામાં માનું છું. બાપજીનું સર્જન એટલે અવધૂતી સાહિત્ય. ગુજરાતની અધ્યાત્મપ્રેમી જનતા માટે સાચી સાધનામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું આ સત્સાહિત્ય ઉત્તમ છે. અહીં વાત કરવી છે, શ્રી રંગ અવધૂતજી (પૂ.બાપજી)ના અધ્યાત્મવિશ્વમાં મહત્વના સ્થાનની અને એમના મનનીય સાહિત્યની.
જે પરમજ્ઞાન આપીને આ દુનિયાને સાચા વિકાસ તરફ પ્રતિબદ્ધ બનાવી શકાય છે, એવું જ્ઞાન દક્ષિણ ભારત તરફથી મળ્યું છે, એટલું બીજે ક્યાંયથી નથી મળ્યું. ભગવાન જગદ્ગુરુ શંકરાચાર્યજીથી માંડીને શ્રી રમણ મહર્ષિ જેવા અનેક સંતોની સમકક્ષ પ્રતિભાઓને આપણી આ માતૃભૂમિએ પણ જન્મ આપ્યો છે. પૂ.મોટાએ હરિîની ધૂનથી સમગ્ર ગુજરાતને ગુંજવ્યું છે, તો બાપજીએ ત્રિદેવ (બ્રહ્ના-વિષ્ણુ-મહેશ)ને અત્રિનંદન (ભગવાન દત્તાત્રેય) રૂપે આરાધીને અદ્રિતીય પ્રદાન આપ્યું છે. બાપજી જેવા મહાપુરુષનું ગુજરાત સાથે સંબંધિત હોવું મોટા બહુભાગ્યનું પ્રતીક છે. પૂ. બાપજી સત્યના સાધક અને અલખના આરાધક તો હતા જ, પરંતુ તેઓશ્રી કઇ કક્ષાના જ્ઞાનીપુરુષ હતા એ તો એમના સાહિત્યના સૂક્ષ્મ પરિચય પહેલાં હું સમજી શક્યો જ નહોતો.
ગ્રંથ એ મારા જીવનમાં સૌથી પ્રિય પુસ્તકોમાંનું એક છે અને એમાંના એક-એક સ્તક્ષેત્રમાં જે અનુભવવાણી પ્રગટ થઇ છે એનો આસ્વાદ માણીને જે આહ્લાદ મેં અનુભવ્યો છે, એને શબ્દોમાં કહેવો મુશ્કેલ છે. ‘અવધૂતી આનંદ’ના એકે-એક ભજનમાં અદ્વૈતનો જે મધુર ગુંજારવ એને તુલનાત્મક વિશ્લેષણો કે વિદ્વાનોનાં પ્રવચનો મારફતે સમજી શકાય એમ નથી. ‘શ્રી ગુરુલીલામૃત’ ગ્રંથ તો જાણે દત્તોપાસક ગુજરાતીઓ માટે ગુરુની ગરજ સારનારો પવિત્ર ધર્મગ્રંથ છે એવું લાગે છે. અને ‘શ્રી દત્તબાવની’ના પાઠથી પ્રત્યક્ષ રીતે જે લાભ મેળવ્યો છે, એ વિશે લખવામાં તો એક પુસ્તક પણ ઓછું પડે એમ છે. ‘અમર આદેશ’ પુસ્તક અને પૂજય બાપજીના જ અવાજમાં એના ઓડિયો રેકોડિ•ગનું શ્રવણ તો મારા માટે સ્વયં ભગવાન દત્ત જેવા ગુરુવરની નિશ્રામાં ભણવા મળતું હોય એવો અહેસાસ કરાવનારું બની ગયું છે.
પૂ. મહર્ષિ શ્રીમદ્ કર્દમાચાર્યજી દ્વારા પૂ. બાપજીના જ્ઞાનાત્મક સ્ત્રોતોનું જે અનુભવસિદ્ધ અર્થઘટન કરાયેલું છે એ ખૂબ ગહન ગ્રંથ રૂપે વિધ્યમાન છે. એ ઉપરાંત શ્રદ્ધેય જમિયતરામ અધ્વયું વિરચિત અને ડો. ઇન્દુભાઇ દવે દ્વારા પ્રકાશિત ગ્રંથત્રય ‘અવધૂતી મસ્તી’માંથી ઘણું માર્ગદર્શન મળ્યું છે. ભગવાન દત્તાત્રેયની ભક્તિ અને પૂજય બાપજીનું સાહિત્યિક સાંનિધ્ય સાંપડ્યું.
પૂ. બાપજીના પૂર્વકાળમાં છપાયેલ સાહિત્યમાં પણ ઘણી ઊંચી વિચારણા પ્રસ્તુત થાય છે. એમાં ૧૯૨૧માં લખાયેલ સંવાદાત્મક પુસ્તક ‘રેંટિયાનું રહસ્ય’ અને ‘સ્વરાજ કીર્તન’ ઉપરાંત, ‘અહિંસા એટલે શું?’ તથા ‘એક વિચિત્ર ઝાડ’ (૧૯૨૨), ગીતાના ૧૫મા અધ્યાયનું અર્થઘટન, ‘ભાંગનો લોટો’, ‘ઉપનિષદની વાતો’, ‘ટોલ્સટોયથી પ્રભાવિત પુસ્તકો’, ‘સદ્બોધ શતક’, ‘બાલબોધિની’, ‘બુદ્ધસંઘનો પરિચય’ અને એવા ગ્રંથો મહત્વપૂર્ણ છે.
અન્ય અધ્યાત્મલક્ષી કૃતિઓમાં ‘ઓધમાલિકા (૧૯૨૬),’ ‘વાસુદેવનામસુધા’ (૧૯૨૮), ‘નર્મદાષ્ટકમ્’, ‘પ્રશ્નોત્તરગીતા’, ‘મુક્તિસ્તક્ષેત્રમ્’, ‘પંચપદી’ (૧૯૨૯) અને ‘પત્રગીતા’ તથા ‘સંગીતગીતા’ પણ અમૂલ્ય અવધૂતી કૃતિઓ છે. ‘ગિવૉણ ભાષાપ્રવેશ-૧ અને ૨’ (૧૯૨૩-૨૪) વ્યાકરણ અને સંસ્કૃતના અમૂલ્ય ગ્રંથો છે, તો ‘વિષ્ણુપુરાણની વાતો’માં એક ઉત્તમ વાર્તાકાર તરીકે બાપજી વ્યક્ત થાય છે. ‘શ્રી રંગપત્રમંજૂષા’ જેવા ઉત્તમ પુસ્તક દ્વારા એવું અનુભવાય છે. જાણે ભગવાન પોતે જ આપણને પત્રો દ્વારા કાંઇક સમજાવતા હોય! ‘રંગતરંગ’ અને ‘દત્તયાગ પદ્ધતિ’ પણ તદ્વિષયક ભક્તો માટે અણમોલ માર્ગદર્શન રૂપ છે.
અવધૂતી સાહિત્યનો જેટલો વિસ્તાર થાય તેટલું જ માનવીય ગૌરવ વધતું જશે એવું જોઉં છું અને એટલે જ આ લખાણ લખી રહ્યો છું. પ્રવચનો, વિવરણો, ભાષણો અને વિ®લેષણો કરતાં આજે સમાજને જરૂર છે, આચરણ અને કર્મઠતાની. પૂ.શ્રી બાપજી પણ કહે છે કે, ‘વાણીશૂરા નહીં પણ વર્તનશૂરા બનો’.
બાપજીએ એક સંસ્થાની જાહેરખબર લખેલી. એમાં લખેલું કે, ‘ઉપદેશકો જોઇએ છે’ અને એ પણ એવા કે જે આચરણથી ઉદ્બોધે તેવા, બધાના શિષ્ય બનવા દોડે એવા, ઉધાર આદર્શવાદી નહીં, પણ રોકડા વાસ્તવવાદી. પૂ. બાપજી એ જાહેરખબરમાં આગળ લખે છે કે, સ્વપ્નસેવી નહીં, પણ જાગ્રતજીવી ઉપદેશકો એમને જોઇએ. જે લોકો આવા હોય એમને પગારની જિજ્ઞાસા પણ થાય? બાપજી પગારમાં આપે છે, ‘આત્મસંતોષ’, ‘અમરઆનંદ’ અને ‘શાશ્વતશાંતિ’ બાપજીની એ ઓફિસનું કાર્યાલય હંમેશાં ખુલ્લું રહે છે.
અરજી ‘અંતરના ઊંડાણમાં’ કરવા કહેલું છે અને નિશ્વય પાકો થાય ત્યારે તરત જ કામે ચઢી જવા બાપજી સૂચવે છે. જ્યાં હો ત્યાં જ હાજર થવાનું છે અને ઉરનો ઉલ્લાસ લાગે તો સમજવું કે અરજી સ્વીકૃત થઇ છે. આ અરજી પૂ. બાપજી ‘અંતરાત્મા અવધૂત’ને કરવા જણાવે છે. બાપજીના આ કાર્યાલયને ક્યારેય તાળાં નથી લાગતાં. સેવા, સદાચાર અને સ્વૈચ્છિક અનુશાસનના આ માર્ગ પર આગેકૂચ થતી રહે એ જ સાધના.
જે લોકોને સાચો માર્ગ નથી મળ્યો એમણે હજી વિચારવું જોઇએ અને એમને વિચારવા દો. આપણમાં સન્માર્ગ અને સદ્ગુરુ બંને ભળેલા છે. આપણે હજી વિચાર્યા કરીશું તો કામ ક્યારે કરીશું? આપણે કામ કરવાનું છે. આ જ સાચી શ્રદ્ધાંજલિ આપણા સૌ તરફથી પૂ. રંગ અવધૂતજી અર્પણ કરીએ.
Subscribe to:
Posts (Atom)


